એવું નથી કે ખાલી મોબાઈલ ટાવરના તરંગોના કારણે જ ચકલીઓ લુપ્ત થવા માંડી છે. બીજા અન્ય કારણો પણ જવાબદાર છે. મોબાઈલ ટાવર તો હમણાથી જ વપરાશ વધી રહ્યો છે. જ્યારે ચકલીઓ લુપ્ત ઘણા વર્ષોથી થઈ રહી છે.પણ જયારે જયારે સંસોધનો થયા છે ત્યારે ત્યારે આ પક્ષીઓ ને નજર અંદાજ કરી અને તે નવા કામો સાથે તેના પાલનને વધારે મહત્વ અપાવામાં આવ્યું છે જે કારણ હોઈ શકે.
મોબાઈલ તરંગોના કારણે ખાલી ચકલી જ નહીં,અન્ય બીજા પક્ષીઓ પણ મૃત્યું પણ થવા માંડયાં છે.અને ઈન્ટરનેટ નો ઉપયોગ પણ વધતો જાય છે.મનુષ્યને તો નુકશાન તો થાય જ છે પણ બિચારા આ મૂંગા નિર્દોષ પ્રાણીઓને પણ નુકશાન પહોંચાડે છે આ સ્વાર્થી માનવી દ્વારા આજના આ વાતાવરણ ને કેટલું બદલી નાખ્યું છે તે આપ પણ જાણો છો.
બીજા અન્ય કારણો……
- કાચા મકાનોને બદલે પાકા મકાનોનો ઉપયોગ વધવાથી
- જંગલોનું ઓછું પ્રમાણ
- ઉત્તરાયણ ના દિવસે પક્ષીઓ ના મૃત્યુ નું ઊંચું પ્રમાણ
- સરકાર ની પશુ પક્ષી માટે કાર્યની આયોજન વગરની શિથિલતા
- ચકલીને જાળવવા માટે લોકોની જાગૃકતાનો અભાવ
- સ્વાર્થી માણસનો પ્રાકૃતિક જીવો પ્રત્યે ઓછો લગાવ